મોરબીમાં બ્રહ્મ સમાજનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાયો

- text


ધો.1 થી કોલેજ સુધીના 88 તેજસ્વી છાત્રો અને 4 વ્યકિતનું વિશિષ્ટ સન્માન

મોરબી : મોરબીમાં બ્રહ્મ સમાજનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં ધો.1 થી કોલેજ સુધીના 88 તેજસ્વી છાત્રો અને 4 વ્યક્તિનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આતકે મહાનુભાવોએ કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની શીખ આપી હતી.

- text

મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે તાજેતરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે ઋષિકુમારીજી,અશ્વિનભાઈ રાવલ, ભુપતભાઇ પંડયા હસુભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, સુરેશભાઈ પંડ્યા સહિતનાં બ્રહ્મ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..આ મહાનુભાવોના હસ્તે ધો.1થી કોલેજ સુધીના 88 તેજસ્વી છાત્રોનું સન્માન તથા 4 વ્યક્તિનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આતકે મહાનુભવોએ પ્રાસંગિક પ્રવચનમાં માવતર, માસ્તર , મહાત્મા જાગૃત રહે તો સમાજમાં ક્રાંતિ આવે અને પશ્ચિમિકરણનું આંધળું અનુકરણ ભૂલીને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યોને આત્મસાત કરી બાળકોમાં સૂસુપ્ત શકિત ખીલવવાની શીખ આપી હતી.

- text