- text
સરકારી ખરાબમાં દબાણ કરી માર્ગ બંધ કરી દેવાતા કલેકટરને ફરિયાદ
મોરબી : મોરબી તાલુકામાં જાંબુડિયા ગામે આવેલ કરોડોની કિંમતી સરકારી ખરાબાની જમીનમા ભુમાફિયાઓએ ગેરકાયદેસર દબાણ કરીને માર્ગ બંધ કરી દેતા જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી સરકારી ખરાબામાં દબાણ દૂર કરી જાહેર માર્ગને ખુલ્લો કરવાની માંગ કરી છે
- text
મોરબીની રફાળેશ્વર ગામે રહેતા ખોડાભાઈ જીવાભાઈ પાચિયાએ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, જાંબુડિયા ગામે પાસે આવેલી સરકારી ખરાબાની જગ્યામાં કેટલાક ભુમાફિયાઓએ પેશકદમી કરીને આ જગ્યા પોતાના બાપુજીની માલિકીની હોય તેમ જમીન ઉપર ગેરકાયદે દબાણ કર્યું છે જ્યારે સરકારી ખરાબ માંથી રફાળેશ્વર ગામ, જોધપર ગામ, અને જાંબુડિયા ગામનો રસ્તો નીકળે છે જે રસ્તા પર ગેરકાયદે દબાણ થવાથી આ ગામોના માર્ગ બંધ થઇ ગયા છે.તેથી આ ગામોના લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.
અંતમાં તેમણે કલેક્ટરને રજૂઆત કરી જાંબુડિયા ગામની સરકારી ખરાબામાં થયેલું દબાણ હટાવી ને માર્ગ તાકીદે ખુલ્લો માંગ કરવા માંગ ઉઠાવી છે.
- text