મોરબીમાં ભરવાડ યુવાનની નિર્મમ હત્યા

- text


રવિરાજ ચોકડી નજીક સ્વામિનારાયણ ગુરૂકુળ પાસેથી લાશ મળી : પથ્થરના ઘા ઝીકાયા

મોરબી : મોરબી નવા વર્ષમાં હત્યાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે, રવિરાજ ચોકડી નજીક આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે ધરમપુરના ભરવાડ યુવાનને પથ્થર અને હથિયારના ઘા ઝીકી રહેંસી નંખાતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ નજીક મોરબી તાલુકાના ધરમપુર ગામના ભાવેશ ભરવાડ નામના યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં મૃતક યુવાનના પિતા મંગાભાઈ ભરવાડે અજાણ્યા ઈસમ વિરુદ્ધ તાલુકા પોલીસમથકે મોડી રાત્રે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોધાવ્યો હતો.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભાવેશ ભરવાડને પથ્થરના ઘા ઝીકી હત્યારાઓએ હથિયાર વડે નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, ઘટનાની જાણ થતાં જ મોરબી એસપી, ડીવાયએસપી, એલસીબી, તાલુકા પોલીસ સહીતનો પોલીસ કાફલો રવિરાજ ચોકડી નજીક આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ પાસે જ્યાં ભરવાડ યુવાનની હત્યા કરાયેલ હાલતમા મૃતદેહ મળ્યો ત્યાં ઘટના સ્થળનુ બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું.

હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક ભાવેશના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી હત્યાના અંકોડા મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

 

- text