પાટીદાર સમાજની પહેલ : એક મહિનામાં વીસ અને લાભ પાંચમના દિવસે પાંચ ઘડિયા લગ્ન લેવાયા

- text


મોરબી : મોરબી પાટીદાર સમાજ પ્રગતિશીલ અને પરિવર્તનશીલ રહ્યો છે,પાટીદાર સમાજ સમયની સાથે તાલ મિલાવી,સમયની જરૂરિયાત અનુસાર આગળ વધે છે,સમાજના પરંપરાગત રિવાજોને દૂર કરવા જેવા કે મૃત્યુ પછી પ્રેત ભોજન એટલે કે “દાળા” ની પ્રથાને તિલાંજલિ આપવી, બેસણાંમાં રક્તદાન કેમ્પ કરવો, આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન,દિવંગતોના બેસણાંમાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ વગેરે નવી નવી પ્રવૃત્તિઓ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવે છે, બેટી બચાવો,બેટી પઢાવો,બેટી વધાવો,દીકરીના જન્મે ગોત્રીજવીધી, વગેરે કાર્યો મારફત અન્ય સમાજોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે,

- text

એવી જ રીતે છેલ્લા ઘણા વર્ષોથી લગ્નવિધિમાં પાટીદાર સમાજમાં બેફામ ખર્ચાઓ થઈ રહ્યા છે લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય,એ કહેવત અનુસાર પૈસાદારોની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પણ લગ્નમાં ઉછી ઉધારા કરીને પણ લખલૂટ ખર્ચ કરવા લાગ્યા, આમાંથી બચવા માટે પાટીદાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે પાટીદાર પરિવાર ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેને સમાજ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો અને દરવર્ષે ઘણાં બધા પરિવારો સમૂહ લગ્નનો લાભ લે છે,પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ આટલેથી સંતોષ ન માન્યો, હજુ પણ આ સમાજ લગ્નવિધિમાં બહુ મોટો અને ખોટો ખર્ચ કરે છે એવું એમને લાગ્યું એટલે સમાજહિતમાં કામ કરતી પાટીદાર સંસ્થાઓ સમૂહ લગ્ન સમિતિ, કડવા પાટીદાર સેવા સમાજ, ઉમા સમાધાન પંચ, ઉમિયા માનવ સેવા મંડળ વગેરે સંસ્થાઓના અગ્રણીઓ પોપટભાઈ કગથરા, ગોપાલભાઈ ચારોલા,પોપટભાઈ ગોઠી વગેરે દીકરા-દીકરીનું વેવિશાળ હોય ત્યાં તુરત જ એમના ઘરે પહોંચી જાય, પૂજ્ય દાદા પ્રેરિત સ્વાધ્યાય પ્રવૃત્તિની ભક્તિફેરીની જેમ પોતાનો ટાઈમ, ટિફિન, ટીકીટ લઈને સમાજફેરી કરવા નીકળી પડે અને સાદાઈથી ઘડિયા લગ્ન કરાવવા માટે વર-વધુને, સગા વ્હાલા, માતા-પિતાને સમજાવે ઘડિયા લગ્નથી લાખો રૂપિયા બચે છે, સમય અને શક્તિનો બચાવ થાય છે, ઘડિયા લગ્નથી અન્નનો બગાડ અને વેડફાળ બચે છે, ખોટા દેખાડો દૂર કરી શકાય છે જેનાથી ગરીબ પરિવારો પણ સાદાઈથી લગ્ન કરે એવી પ્રેરણા આપી શકાય છે. એમાંય વળી હાલ મંદીનો માહોલ, દુષ્કાળની પરિસ્થિતીમાં લગ્નના લખલુંટ ખર્ચને બચાવવો ખૂબ જરૂરી હોય, સમાજને સાચી દિશા આપવા માટે સમાજના મોભીઓ દીકરા-દીકરીના ચાંદલા-ચુંદડીના પ્રસંગમાં પહોંચી કન્યા તથા કુમાર પક્ષના લોકોને રાજી કરે અને ત્યાં જ ઉપસ્થિત સગા વ્હાલા સબધીઓ, વડીલો, વર-વધુનું સન્માન કરે અને માં ઉમાના આશીર્વાદ સાથે ચાંદલા ચૂંદડીની જગ્યાએ ચાર ફેરા ફરવાની વિધિ સંપન્ન કરાવે।આવી રીતે છેલ્લા એક મહિનામાં વિસ જેટલા અને લાભ પાંચમના શુભળીને પાંચ ઘડિયા લગ્ન લેવડાવી લાખો રૂપિયાની બચત કરાવવામાં યશભાગી બન્યા છે.

પાટીદાર સમાજમાં શરુ થયેલી આ પહેલથી પ્રેરણા લઈને તાજેતરમાં મૂળ ગામ અમરેલીના હસમુખભાઈ મેઘજીભાઈ ચારોલા પુત્ર પ્રશાંતની સગાઇ મૂળ ગામ નવા ઘાંટીલાના હરજીભાઈ રામજીભાઈ દેત્રોજાની પુત્રી સેજલ સાથે યોજાઈ હતી. આ સગાઈના પ્રસંગમાં બંને પરિવારજનોએ સમજુતીથી સગાઈના પ્રસંગમાં જ ઘડિયા લગ્ન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લઇ યુગલના સગાઇ સાથે લગ્ન પણ કરી નાખ્યા હતા.

- text