- text
ખાટકીવાસ નજીક બનેલી ઘટના ત્રણ વિરૂદ્ધ ફરિયાદ
મોરબી : મોરબીમાં દુકાન પાસે નાળિયેરની લારી રાખવા મુદ્દે ત્રણ શખ્સોએ એક સંપ કરી નાળિયેર વેંચતા ધંધાર્થીનું માથું ફાડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
- text
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ખાટકીવાસ નજીક જયંતિભાઇ નરશીભાઇ પરમાર, ઉ.૨૧ ધંધો- નારીયેલ પાણીની લારી રહે. એલ.ઇ.કોલેજની સામે વાળાને (૧) ટીનાભાઇ ગોલારાણા (૨) કિશોરભાઇ ગોલારાણા તથા (૩) ચંદુભાઇ ગોલારાણા તમામ રહે. મોરબીવાળાએ દુકાન પાસે નાળિયેરની લારી કેમ ઉભી રાખશ તેમ કહી માથામાં લાકડાનો ધોકો ફટકારી માથું ફોડી નાખતા એ- ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
- text