વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને સુરતથી ઝડપી લેતી એસઓજી ટીમ

- text


છ માસથી નાસતો ફરતો સુરત હોવાની બાતમી મળતા પોલીસે દબોચી લીધો

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં છ માસ પૂર્વે સગીરાનું અપહરણ કરી નાસી જનાર આરોપીને સુરતથી ઝડપી લેવા એસઓજી ટીમને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુંવાની સગીરાને છ માસ પૂર્વે લલચાવી ફોસલાવી ભગાડી જનાર નાસતો ફરતો આરોપી પરેશ માનસીંગ મેર, ઉવ.૨૧ રહે. હાલ મોરથાણા, તા. કામરેજ સુરત હોવાની હકીકત મળતા એસઓજી પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે મોરથાણ ખાતેથી આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લઈ ધોરણસર , અટક કરી ભોગ બનનારને તેના વાલી-વારસને સોંપવા વાંકાનેર તાલુકા સોંપી આપવામાં આવેલ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ.કોન્સ. ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફે કરેલ હતી.

- text