મોરબી વન વિભાગ દ્વારા ઓમ.વી.વી.આઈ.એમ. તથા ઓસેમ સ્કુલ મા વન સપ્તાહની ઉજવણી કરાઈ

- text


પર્યાવરણ જાગૃતિ અંગે રેલી તથા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે મોરબી વન વિભાગ દ્વારા શહેરની ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમા વન્ય જીવ સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત વહેલી સવારે પર્યાવરણ જાગૃતિ તેમજ વન્યજીવ સંરક્ષણ જાગૃતિ માટે વિશાળ રેલી યોજવામા આવી હતી જે શહેર ના રાજ માર્ગો પર ફરી હતી.

વન સપ્તાહની ઉજવણી અન્વયે પર્યાવરણ તેમજ વન્યજીવ સંરક્ષણ વિષય પર નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમા પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંક પર આવનાર વિદ્યાર્થીઓ ને ઈનામો અર્પણ કરવા મા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા દીવસ રાત પોતાના જીવ ના જોખમે વન્યજીવો ની રક્ષા કરવા મા આવે છે. દેશ મા ઘણા બધા ફોરેસ્ટર્સ શહીદ થયા ના બનાવો પણ વારંવાર પ્રકાશિત થતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ મા આ બાબતે જાગૃતિ આવે તે હેતુસર આ કાર્યક્રમ યોજવા મા આવ્યો હતો.

- text

આ તકે નાયબ વન સંરક્ષક એમ.એમ.ભાલોડી, મદદનીશ વનસંરક્ષક એસ.ડી. કોટડીયા, નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.ડી. બાળા, મયુર નેચરલ ક્લબના મારૂતિ સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.પી. જાડેજા, સંસ્થાના ટ્રસ્ટી સુમંત ભાઈ પટેલ , પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, ઓસેમ કો-ઓર્ડીનેટર સના મેડમ સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના જયેશભાઈ મેહતા, હીમાંશુભાઈ શેઠ, હાર્દીકભાઈ ઉદાણી, મિતલબેન મેનપરા, પાયલબેન રાઠોડ, ભગીરથ સિંહ ઝાલા, સુમિતભાઈ કટેશિયા, ભાવેશભાઈ સારેસા, આશિષભાઈ શિરવી, કેતનભાઈ જોશી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નુ સમગ્ર સંચાલન સંસ્થાના નિર્મિતભાઈ કક્કડે કર્યુ હતુ.

- text