મોરબી : શક્તિરાજ ગ્રુપ આયોજિત પદયાત્રા સંઘ બુધવારે માતાના મઢે જવા રવાના થશે

- text


મોરબી : મોરબીના શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત ૧૦ માં વર્ષે પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સંઘ તા. ૩ને બુધવારે સાંજે ૫ કલાકે માતાના મઢે જવા રવાના થશે.

જો કોઇ ભાવિકો આ સંઘમાં જોડાવા ઈચ્છતા હોય તો તેઓએ શક્તિરાજ હોટલ, નટરાજ ફાટક પાસે, મોરબી-૨ ખાતે સંપર્ક કરવો. આ સંઘનું આયોજન જાડેજા શક્તિસિંહ મો.નં. ૯૯૭૮૪ ૯૯૯૮૦, ઘનશ્યામસિંહ ઝાલા અને વૈભવભાઈ પારેખની આગેવાની હેઠળ કરાયું છે.

- text

- text