મોરબીમાં ગાંધીજયંતિના અવસરે પ્રભાતફેરી, ભજનસંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે

- text


સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન અન્વયે મોરબી જિલ્લામાં એકતાયાત્રા યોજાશે

મોરબી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રભાતફેરી, ભજન સંધ્યા અને પ્રાર્થનાસભા યોજવા નક્કી કરાયું હતું.

જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે કલકેટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓકટોમ્બર – નવેમ્બર-૨૦૧૮ ના માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદઘાટન અન્વયે ’’એકતાયાત્રા’’ નું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે મોરબી જિલ્લામાં મા નર્મદાયાત્રા મુજબ એકતાયાત્રાના રૂટ નકકી કરવા માટે આયોજન ઘડી કાઢવા સૂચના આપવામાં આવી હતી.

- text

આ બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓને આ એકતાયાત્રા આયોજન માટે જરૂરી સુચના આપી હતી અને ૨જી ઓકટોમ્બર-૧૮ ના રોજ મહાત્માગાંધી જન્મ જયંતિના દિવસે સવારે પ્રભાતફેરી, સવારે ૮-૦૦ કલાકે ટાઉનહોલ ખાતે સર્વધર્મ પ્રાથના તેમજ સાંજે ભજનસંધ્યાનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ભાજપ અગ્રણી રાઘવજીભાઇ ગડારા, જયોતિસિંહ જાડેજા, પોલીસ વડા, નિવાસી અધિક કલેકટર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી મોરબી, જિલ્લાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

- text