બજરંગદળના કાર્યકરો ઉપર હુમલાના વિરોધમાં હળવદ સજ્જડ બંધ

- text


૧૩ જેટલા હુમલાખોર પોલીસ ગિરફતમાં : શાળા – કોલેજો અને મુખ્ય બજારો સુમસામ : વિહિપ, બજરંગ દળ દ્વારા રેલી યોજી આવેદન અપાશે

હળવદ : હળવદમાં ગઈકાલે થયેલી જૂથ અથડામણ બાદ વિહિપ અને બજરંગદળે હળવદ બંધનું એલાન આપતા આજ સવારથી તમામ શાળા – કોલેજો અને મુખ્ય બજારો બંધ રહેવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદમાં થયેલી જૂથ અથડામણમાં બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક અને હળવદ સંયોજક ઉપર હુમલો થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ આ હુમલા પ્રકરણમાં સંડોવાયેલ ૧૩ શખસોને પોલીસે ગિરફતમાં લઇ લીધા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન હુમલાના વિરોધમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદે હળવદ બંધનું એલાન આપતા સવારથી શાળા કોલેજો અને મુખ્ય બજારો બંધ રહી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

- text

- text