- text
મોરબી : મોરબીના ટીમ્બડી નજીક નદીમાં લાશ તરતી હોવાની માહિતી મળતા ગ્રામજનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ કલાકો સુધી પોલીસ આ મામલાની તપાસ કે જાણકારી માટે ડોકાઈ ન હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીમ્બડી ગામ નજીક કલ્યાણ બાપુના આશ્રમ પાસે નદીમાં લાશ તરતી હોવાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે – ટોળા ઉમટ્યા હતા અને સેવાભાવી લોકોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
- text
જો, કે મોરબી સિવિલ હોસ્પિટલે મૃતદેહ પહોંચ્યા બાદ પણ કલાકો સુધી પોલીસ ન પહોંચતા બનાવ હત્યા નો છે કે આત્મહત્યા નો તે બહાર આવ્યુ નથી.
- text