વાંકાનેરમાં અનોખી કોમી એકતા : ગણપતિ અને હુસેની છબીલ એક જ મંડપમાં

- text


મિલ પ્લોટના શાંતિ નગર વિસ્તારમાં હિન્દૂ મુસ્લિમ એકતાના દર્શન

વાંકાનેર : કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય કરાવતા પિંઢારા રાજકારણીઓને લપડાક રૂપે વાંકાનેરના શાંતિ નગરમાં કોમી એકતાના અદભુત દર્શન કરાવતા કિસ્સામાં હુસેની છબીલ અને ગણપતિ બાપાને એક જ મંડપ નીચે સ્થાપિત કરવામાં આવતા લોકોમાં કોમી એકતાનો આ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વાંકાનેરના મિલપ્લોટમાં આવેલ શાંતિનગર વિસ્તારના લોકોએ ધાર્મિક એકતાની અનોખી મિશાલ પુરી પાડી હુસેની છબીલ કમિટી અને વિઘ્નહર્તા ગણપતિદાદા નો પંડાલ બંને એક જ મંડપમાં સ્થાપિત કર્યા છે.

- text

કોમી એકતાની આ અનોખી મિશાલ અને પહેલ કદાચ વાંકાનેરમા જ બલ્કે સમગ્ર દેશમાં અને સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ વખત હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. હિન્દુભાઈઓ અને મુસ્લીમભાઈઓ એક સાથે મળી તહેવારો ઉજવણી કરી રહ્યા હોવાથી ચો તરફથી દીલ થી સલામ અને શુભેચ્છાઓ મળી રહી છે.

- text