મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૧૬મીએ સરસ્વતી સન્માન સમારોહ

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી તા. ૧૬ ને રવિવારના રોજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માનવા નવમો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવશે.

મોરબી જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માનવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી તા. ૧૬ ને રવિવારે બપોરે ૨.૩૦ કલાકે અત્રેના ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

- text

મોરબી આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ જારીયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ પ્રસંગે રામબાઈમા ની જગ્યાના મહંત જગ્ગનાથ બાપુના હસ્તે દીપ પ્રાગટય કરાશે, સમારંભના મુખ્ય વક્તા ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલના રજિસ્ટ્રાર જયશ્રીબેન કુંભરવાડિયા રહેશે જ્યારે મુખ્ય મહેમાન તરીકે મોડાસા પ્રાંત અધિકારી આઈ.એસ.આહીર, ડે.કલેકટર રાજકોટ આશીશભાઈ મિયાત્રા અને જીએસટી અમદાવાદ ના આસી.કમિશનર નિર્મલભાઈ ડી.ગોગરા સહિતના મહાનુભાવો હાજર રહેશે અને તેજસ્વી તારલાઓનો સન્માનશે.

- text