હાર્દિકના સમર્થનમાં ગુરુવારે નસીતપરથી મહેન્દ્રનગર સુધી પદયાત્રા

- text


ટંકારા પાસ સમિતિ દ્વારા ઉમા ખોડલ રથયાત્રા સાથે કરાશે પદયાત્રા

મોરબી : મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આગામી તા. ૧૩ ને ગુરુવારે નસીતપરથી મોરબી મહેન્દ્રનગર સુધી માં ઉમા ખોડલના રથ સાથે પદયાત્રાનું આયોજન કરાયું છે.

- text

મોરબી જીલ્લા પાસ સમીતી દ્વરા હાર્દીક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ટંકારા તાલુકાના નસીતપર ગામથી માં ઉમા-ખોડલનો રથ લઇ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમીયા માતાજી મંદીર ( રામઘન આશ્રમ ) સુધી મોરબી જીલ્લા પાસ સમીતી દ્વરા પદયાત્રા નુ આયોજન કરેલ છે.

વધુમાં મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા જાહેર જનતા અને પાટીદાર સમાજ તેમજ ખેડુત સમાજને આ પદયાત્રામાં હાજર રહેવા અને જોડાવા તા. ૧૩ ના રોજ સવારે ૮ વાગ્યે નસીતપર ગામે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text