વાંકાનેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી અને પાકવીમાના પ્રશ્નો અંગે પ્રતિક ઉપવાસ

- text


વાંકાનેર : વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદા અને કોંગ્રેસના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

વાંકાનેરના ગ્રીન ચોક ખાતે સવારે ૧૦ કલાકે વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો જેમાં ખેડૂતોના દેવા માફી અને પાકવીમાના પ્રશ્નોને લઇ ઉપવાસ આંદોલન કરવામાં આવેલ

- text

આ પ્રતિક ઉપવાસ આંદોલન વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવીદ પીરજાદા ની આગેવાનીમાં કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સહકારી મંડળીના પ્રમુખો અને કોંગ્રેસ સમિતિના અધ્યક્ષો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- text