મોરબીમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

- text


તા.૧૩થી ૨૩ દરમિયાન દરરોજ મહાઆરતી, પૂજન , અર્ચન સહિતના કાર્યક્રમો

મોરબી : મોરબીમાં સપ્તપદી પાર્ટી લોન્સ ખાતે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૩થી ૨૩ દરમિયાન દરરોજ મહાઆરતી, પૂજન , અર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે.

- text

મોરબીમાં રામોજી ફાર્મ સામે આવેલા સપ્તપદી પાર્ટી લોન્સ ખાતે સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૩ થી ૨૩ સુધી દરરોજ ગણેશ ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવશે. સાંજે ૭ કલાકે ગણેશજીની મહાઆરતી કરવામાં આવશે. સૌરાષ્ટ્રના સૌથી જાજરમાન અને છેલ્લા ૯ વર્ષથી યોજાતા આ ગણપતિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ગણેશ ઉત્સવ સમિતિના સ્વયમ સેવકો અરવિંદભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text