ચરાડવા નજીક કાર હડફેટે ઈજાગ્રસ્ત સાઇકલચાલકનું સારવાર દરમિયાન મોત

- text


હળવદ : હળવદના ચરાડવા નજીક ગત તારીખ ૨૬/૦૮/૨૦૧૮ના રોજ કાર હડફેટે ઈજાગ્રસ્ત થેયલા સાયકલચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. હાલ આ મામલે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ચરાડવા ગામ પાસે આવેલા ધાવડી પેટ્રોલ પંપ સામેના રોડ પર તારીખ ૨૬/૦૮/૨૦૧૮ના રોજ સાયકલ પર જતાં સુભાષભાઇ રાધેશ્યામભાઈ દેવમુરારીને સ્કોર્પિયો કારે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા પોહચી હતી અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે સ્કોર્પિયો નં. જીજે ૩૬ એફ ૮૦૦૮ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text