- text
મોરબી : મોરબીના વાંકડા ગામે શહીદ પાટીદારોની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિએ તેમને કેન્ડલ વડે શ્રધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાટીદાર આંદોલનમાં તા. ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ મૃત્યુ પામેલા શહીદ પાટીદારોને શ્રધાંજલિ પાઠવવા માટે મોરબીના વાંકડા ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકડા પાટીદાર સમાજના યુવાનો અને વડીલોએ શહીદ થયેલા પાટીદારોને કેન્ડલ વડે શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી.
- text
- text