મોરબીમાં રવિવારે ઔષધિય ગુણો ધરાવતા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

- text


વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૧ હજાર જેટલા તુલસીના રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના સંદેશ બ્યુરો ઓફીસ નીચે વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૯ને રવિવારના રોજ ઔષધીય ગુણો ધરાવતા તુલસીના રોપાના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે ૧ હજાર જેટલા તુલસીના રોપા આપવામાં આવશે.

મોરબીની મયુર નેચર કલબ, સામાજિક વનીકરણ રાજકોટના ટંકારા વનવિભાગ, પ્રેસ ફ્રેન્ડ્સ કલબ અને ઇન્ડિયન લાયન્સ કલબના સયુંકત ઉપક્રમે તા. ૧૯ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ ઔષધીય ગુણો ધરાવતા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

- text

આ વિતરણ સંદેશ બ્યુરો ઓફિસની નીચે, કેકે સ્ટીલની સામે, રામ ચોક, શનાળા રોડ ખાતે કરવામાં આવશે. કુલ ૧ હજાર જેટલા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. અસાધ્ય રોગોમાં રાહત આપતા ઔષધીય ગુણો ધરાવતા તુલસીના રોપાના વિતરણનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text