માળિયા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને નારાજગી

- text


વિશ્વાસમાં લીધાં વીના વરણી કરાતા ભાજપના વફાદાર સદસ્યો નારાજ : નવાજુનીના એંધાણ

માળીયા : માળીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝુટવ્યા બાદ ભાજપે સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના કારોબારી અધ્યક્ષના નામની જાહેરાત કરી દેતા ભાજપમાં ભડકો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપના વફાદાર એવા સદસ્યોમાં અધ્યક્ષની વરણીને લઈને નારાજગી જોવા મળી રહી હોવાથી નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text

માળિયા તાલુકા પંચાયત કોગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી હતી. જેમા કોગ્રેસના બે સદસ્ય અને એક સદસ્ય ગેરહાજર રહેતા માળિયા તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી હતી. પરંતુ બાદમાં સદસ્યોને વિશ્વાસમા લીધા વગર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષના નામની જાહેરાત કરી દેતા તાલુકામાથી ચુટાયેલ સદસ્ય વચ્ચે નારાજગી જોવા મળી છે.

એક બાબતે માળિયા તાલુકાની વવાણીયા સીટ પર થી ભાજપ પક્ષ માથી સતત ચુટાઇને આવતાગત ટર્મના તાલુકા પંચાયત અધ્યક્ષ અને ભાજપ પક્ષની સાથે વફાદાર એવા નારાજ સદસ્ય ડાડાબાપુને નારાજગીની વાતનો સ્વીકાર કર્યો હતો અને આવનાર સમયમાં નારાજગીને લઈને રાજકીય નવાજુની થવાના એધાણ વર્તાઈ રહ્યા હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.

 

- text