મોરબીના રાજપૂત સમાજના તબીબ છાત્રને મેજરના હસ્તે એવોર્ડ મળ્યો

- text


મોરબી : મોરબીના રાજપૂત સમાજના છાત્રને મેજર અજિતસિંગ સેખાવતના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ છાત્રનો ૩૩મો એવોર્ડ હતો.

મોરબીના સત્યજિતસિંહ કૃષ્ણસિંહ જાડેજા કે જેઓ ૫માં ધોરણથી સન્માનિત થતા આવ્યા છે. તેઓએ આ વર્ષે પણ એમબીબીએસના ત્રીજા વર્ષમાં ફર્સ્ટ કલાસ પાસ થઈને મોરબી રાજપૂત સમાજમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારે તેમની આ સિદ્ધિ બદલ મેજર અજિતસિંગ શેખાવતના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સત્યજિતસિંહના વિધાર્થીકાળનો ૩૩મો એવોર્ડ હતો.

- text

 

- text