મોરબીના નવલખી રોડ પર ભારે વાહનોના ત્રાસ મુદે કાર્યવાહી કરવા વાહનવ્યવહાર મંત્રીનો આદેશ

- text


માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની સરપંચ એસોસિએશનની રજૂઆતનો પડઘો

મોરબી : મોરબીના નવલખી રોડ ઓર દોડતા ભારે વાહનોના ત્રાસ સામે કાર્યવાહી કરવા સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો તેમજ રેલી યોજવામાં આવી હતી. જેના સંદર્ભે વાહન વ્યવહાર મંત્રીએ તંત્રને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

મોરબીના નવલખી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોનો ભારે ત્રાસ છે. ત્યારે અગાઉ પણ આ પ્રશ્ને સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેનો સફળ પડઘો પડ્યો છે. રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીએ આ મુદ્દે વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ અને વાહન વ્યવહાર કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનો સામે સરપંચ એસોસિએશન લડત ચલાવી રહ્યું હતું. આ મુદ્દે સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો તેમજ રેલી યોજવામાં આવી હતી. અંતે આ રજૂઆતોનો સફળ પડઘો પડ્યો છે.

- text