મોરબી : ધર્મલાભ સોસાયટીમાં મનાઈ હુકમ હોવા છતાં બાંધકામ પૂરજોશમાં ચાલુ

- text


ચીફ ઓફિસરે ગેરકાયદે થતા બાંધકામને અટકાવવાનો હુકમ કર્યો હોવા છતાં બાંધકામ ચાલુ રહેતા સ્થાનિકોએ ફરી કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબીની ધર્મલાભ સોસાયટીમા ગેરકાયદે થઈ રહેલા બાંધકામ સામે ચીફ ઓફિસરે લાલ આંખ કરીને બાંધકામ અટકાવવાની રજુઆત કરી હતી. તેમ છતાં ચીફ ઓફિસરના હુકમનો ઉલાળીયો કરી બાંધકામ ચાલુ હોવાથી સ્થાનિકોએ ફરી કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબીની ધર્મલાભ સોસાયટીના પ્લોટ નં. ૨૬માં નીતિનભાઈ રંગપરિયા, મહેશભાઈ અઘારા અને ધર્મેન્દ્ર કાવડીયા દ્વારા ગેરકાયદે બાંધકામ થતું હોવાની સ્થાનિકોએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. જેને પગલે ચીફ ઓફિસરે ગત તા. ૨૦ના રોજ રૂબરૂ તપાસ કરીને તા. ૨૧એ આસામીઓને બાંધકામ અટકાવવાની નોટિસ આપી હતી.

- text

ચીફ ઓફિસર દ્વારા બાંધકામ અટકાવવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં આ હુકમનો ઉલાળીયો કરીને આ બાંધકામ આજ દિન સુધી અટકાવવામાં આવ્યુ નથી. ગેરકાયદે થયેલું આ બાંધકામ હજુ પણ પુરજોશમાં ચાલુ છે. જેની સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text