મોરબી : ધર્મનગર સોસાયટીમાં બે મકાનોને નિશાન બનવતા તસ્કરો

- text


એક મકાનમાંથી ૩.૫ તોલા સોનાની જ્યારે બીજા મકાનમાંથી ૩ સોનાની વીટી, લેપટોપ અને રૂ. ૪૦ હજાર રોકડની ચોરી

મોરબી : શનાળા ગામ પાસે આવેલ ધર્મનગર સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. એક મકાનમાંથી ૩.૫ તોલા સોનુ જ્યારે બીજા મકાનમાંથી ૩ સોનાની વિટી, રૂ. ૪૦ હજાર રોકડ અને લેપટોપની ચોરી થઈ છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ શનાળા ગામ પાસે રાજપર રોડ પર આવેલ ધર્મનગર સોસાયટીમાં ગત મોડી રાત્રે તસ્કરોએ બે મકાનમાંથી ચોરી કરી હતી. બન્ને મકાનમાં ઘરના સભ્યો અગાસી પર સુતા હતા અને તસ્કરો નીચે હાથ સાફ કરી ગયા હતા. સીરામીકમાં નોકરી કરતા નયનભાઈ પ્રવીણભાઈ સિરવીના મકાનનું તાળું તોળી તસ્કરો ૩.૫ તોલુ સોનુ ચોંરી ગયા હતા.

આ ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષક હરેશભાઇ રબારીના મકાનમાંથી ૩ વિટી કિમત રૂ. ૪૦૦૦૦, લેપટોપ તેમજ ૪૦ હજાર રોકડની ચોરી થઈ છે. આ મામલે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

- text