- text
મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં દુકાનો પાસે કચરાના ઢગલામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ આગ પર આસપાસના વેપારીઓએ પાણીનો મારો ચલાવીને કાબુ લઈ લીધો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સાવસર પ્લોટની શેરી નં. ૧૧માં પડેલો કચરાનો ઢગલો સળગાવવા માટે કોઈએ આંગ ચાંપી હતી. બાદમાં આ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કચરામાં પ્લાસ્ટિક અને થર્મોકોલ હોવાથી આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બાદમાં આસપાસના વેપારીઓએ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
- text
- text