મોરબીમાં ગાંધીચોકથી ત્રાજપર સુધી ટ્રાફિકજામ : લોકો પરેશાન

- text


મોરબી : મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દિવસે – દિવસે વકરી રહી છે ત્યારે આજે તો ગાંધીચોકથી છેક ત્રાજપર ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાતા લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી અને દરરોજની સમસ્યાનો ઉકેલ આવે તે માટે તંત્ર હવે પગલાં લે તો સારું તેવું જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે નવ વાગ્યાથી મોરબીના પાડા પુલથી લઈ ગાંધીચોક અને ત્રાજપર ચોકડી સુધી બન્ને તરફ વાહનોના થપ્પા લાગી જતા શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓથી લઈ નોકરિયાતો અને ઉદ્યોગપતિઓ બબ્બે કલાક સુધી ફસાઈ ગયા હતા.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં દરરોજ સવારે અને સાંજે બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાય છે અને લોકો ટ્રાફિકજામમાં ફસાય છે ત્યારે હવે પોલીસ અને પાલીકાતંત્ર આ મામલે ગંભીર બની ટ્રાફિકજામની સમસ્યાનું નિરાકરણ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

 

- text