- text
મોરબી : મોરબીના શનાળા રોડ પર શ્રીજી સોસાયટી પાસે ગંદકીથી ખદબદતા ઘુતારીના નાલાની સફાઈ કરી સ્થાનિકોએ વૃક્ષારોપણ હાથ ધર્યું હતું. સ્થાનિકોની જહેમત થી નાલા પાસેની જગ્યા રમણીય સ્થળ જેવી થઈ જવા પામી છે.
મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે આવેલી શ્રીજી સોસાયટી પાસે ઘુતારીનુ નાલું આવેલું છે આ નાલુ અત્યંત ખરાબ હલતમાં હતુ. ત્યારે આંબાલાલ કુંડારીયા સહિતના સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ તેને સાફ કરવાનું બીડું ઝડપ્યું હતું. સ્થાનિકોએ આ નાલાની સાફ સફાઈ કરીને ૨૫ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ છે. અગાઉ જે નાલું ગંદકીથી ખદબદતું હતું આજે તે નાલાની આસપાસ રમણીય સ્થળ બનાવી દેવામાં આવ્યું છે.
- text
- text