- text
મોરબી : મોરબીમાં સ્વ.જેતીબેન ઠાકરશીભાઈ રોજમાળાની સ્મૃતિમાં રોજમાળા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને રક્તદાન કર્યું હતું.
- text
સ્વ.જેતીબેન ઠાકરશીભાઈ રોજમાળાને શ્રધ્ઘાંજલી અર્પણ કરવા માટે મોરબી સંસ્કારધામના સહયોગથી રોજમાળા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ જેટલા લોકોએ રકતદાન કરી મહામુલી જીંદગી બચાવવામાં સહભાગી થયા હતા. તમામ રક્તદાતાઓનો પરસોતમભાઈ ઠાકરશીંભાઈ રોજમાળા તેમજ રોજમાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
- text