ટંકારામાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે રોડ પર શાકભાજી ઢોળ્યા : ૩૦ની અટકાયત

- text


ટંકારા : ટંકારાની લતીપર ચોકડીએ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રોડ પર શાકભાજી ઢોળવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ૩૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

હાલ રાજ્યભરમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ટંકારાની લતીપર ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત ને લઈ અને પોષણક્ષમ ભાવ બાબતે તથા પાક વીમાને લઈ રસ્તા ઉપર ઉતરી શાકભાજી રોડ ઉપર ઢોળી વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધને પગલે ટંકારા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ૩૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટક કરી બાદમાં મુક્ત કર્યા હતા.

- text

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી કારોબારી ચેરમેન અશોક સંધાણી ન્યાય સમિતિના મહેશભાઇ લાધવા. યુવા પાખના પરેશ ઉજરીયા સહીત તાલુકા પંચાયત ના સભ્યો અને કોગેસ ના કાર્યકરો હાજર રહ્યા હતા

- text