નારણકા પ્રા. શાળાના આચાર્ય પ્રવીણભાઈ પૈજાનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી: મોરબી તાલુકાની નારણકા પ્રા.શાળાના આચાર્ય પૈજા પ્રવિણચંદ્ર બાબુલાલ વયનિવૃત થતા તેમનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપીને આચાર્યને ભાવભેર વિદાય આપી હતી.

વિદાય સમારોહમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સરડવા , મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા, તા.શા.આચાર્ય મહેન્દ્રભાઈ વાઘડિયા ,ખાખરાળા સી.આર.સી.કો. રમેશભાઈ કાલરીયા, મોરબી તા.ગ્રા.શિ.શ.સ. મંડળી ના મંત્રી નરેશભાઈ ફુલતરિયા, તેમજ પેટા શાળા ના તમામ શિક્ષકો, ગામના સરપંચ તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ તથા ગામના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને દિપાવ્યો હતો.

- text

આ પ્રસંગે તમામ મહાનુભાવો તથા શાળાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં નિવૃત થનારા પ્રવિણભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત, આભારવિધિ તેમજ સંપૂર્ણ સંચાલન ખેવારીયા પ્રા.શાળાના આચાર્ય પ્રવિણભાઇ કે.પૈજા એ કર્યું હતું.

 

- text