મોરબીમાં કાલે શનિવારે ગ્રામ શક્તિ અભિયાન, પ્રધાનમંત્રી મેલા અને લાભાર્થી સંમેલન

- text


ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ટાઉન હોલ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને આયોજન

મોરબી : મોરબીમાં આવતીકાલે તા.૨૮ ને શનિવારે ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ શક્તિ અભિયાન કાર્યક્રમ યોજાનાર છે. આ સાથે પ્રધાનમંત્રી મેલા અને લાભાર્થી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અધ્યક્ષ સ્થાને સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે.

મોરબીના ટાઉનહોલ ખાતે આવતીકાલે તા.૨૮ ને શનિવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ અનુસંધાને સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ગ્રામ શક્તિ અભિયાન કાર્યક્રમ યોજાનાર છે. ત્યારબાદ સાંજે ૫ સુધી પ્રધાનમંત્રી મેલા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી સંમેલન યોજાશે.

- text

આ કાર્યક્રમમાં અનેક અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા ભાજપ પ્રભારી વિજય લોખીલની યાદીમાં જણાવાયું છે.

- text