મોરબીના મકનસરમાં ઘરધણી લગ્નમાં ગયા અને તસ્કરો ૨.૨૫ લાખની માલમતા ચોરી ગયા

- text


એક દિવસ બંધ રહેલા ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી ૨ લાખના દાગીના અને ૨૫ હજાર રોકડા લઈ ગયા

મોરબી : મોરબીના મકનસર ગામે રહેતો રાજપૂત પરિવારને એક દિવસ માટે લગ્નમાં જવું રૂપિયા સવા બે લાખમાં પડ્યું છે, એક દિવસ બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ૨૫૦૦૦ રોકડા તથા બે લાખના દાગીના ઉઠાવી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગમે રહેતા ગીરીશભાઈ દેવીદાસભાઈ રાઠોડ અને તેમનો પરિવાર થાનગઢ ગામે લગ્ન પ્રસંગમાં જતા બંધ પડેલા મકાનને નિશાચરોએ નિશાન બનાવ્યું હતું ઘર તથા તિજોરીના તાળા તોડી અને ઘરમાં રહેલા રૂપિયા ૨૫૦૦૦ રોકડા તથા રૂપિયા બે લાખની કિંમતના ઘરેણાંની ચોરી કરી હતી. આ મામલે મકાન માલિક ગીરીશભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text