મોરબીમા રવિવારે ‘પતંગિયું કેવું મજાનું’ બાળ કાવ્યસંગ્રહની વિમોચનવિધિ

- text


સંજય બાપોદરિયા -સંગી રચિત કાવ્યસંગ્રહના વિમોચન પ્રસંગે અનેક મહાનુભાવો આપશે હાજરી

મોરબી : મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં આગામી રવિવારે સંજય બાપોદરિયા ( સંગી) રચિત પતંગિયું કેવું મજાનું બાળ કાવ્યસંગ્રહની વિમોચનવિધિ યોજાનાર છે. જેમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

- text

સંજય બાપોદરિયા ( સંગી) રચિત પતંગિયું કેવું મજાનું બાળ કાવ્યસંગ્રહનો આગામી રવિવારે સાંજે ૮ થી ૫ સુધી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે વિમોચન સમારોહ યોજાશે.આ પ્રસંગે બાળરોગ નિષ્ણાંત ડો.સતીશ પટેલ, ગઝલકાર કાયમઅલી હઝારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવેશભાઇ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મણિલાલ સરડવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ શૈલેષભાઇ સ
સાણજા, શિક્ષણ અગ્રણી પી.ડી.કાંજીયા અને હાસ્ય લેખક ડો. અમૃત કાંજિયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text