પ્રાંસલામાં આગની ઘટનામાં મુત્યુ પામેલ મોરબીની બાળાના પિતાને સહાયનો ચેક અર્પણ કરાયો

- text


મોરબી : પ્રાંસલા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય શિબિરમાં ગત ૧૨મી જાન્યુઆરી ના રોજ આગની દુર્ઘટનાથી ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. આ આગની ઘટનામાં ત્રણ બાળાઓના મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટનામાં મોરબી જિલ્લાની એક બાળાનો પણ ભોગ લેવાયો હતો. આ બાળાના પિતાને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી રૂ.૪ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો છે.

પ્રાશલા ખાતે સ્વામી ધરમબંધુજીની રાષ્ટ્રીય શિબિર માં તાં.૧૨ જાન્યુઆરી ના રોજ આગની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મોરબી જિલ્લાના કૃપાલીબેન અશોકભાઈ દવેના પિતાને મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી રૂ. ૪,૦૦,૦૦૦ ની સહાયનો ચેક અર્પણ કરાયો હતો. આગાઉ સ્વામિ ધર્મબંધુજી તરફથી પણ મૃતકોના પરિવારને રૂ.૧ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

- text

 

- text