મોરબીના ખોખરા ધામે શ્રીમદ્ ભાગવત કથા સાંભળવા ભાવિકોનો ધસારો

- text


પૂ.કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત કથા સાંભળવા ભાવિકોનો ધસારો : દરરોજ રાત્રે ભજન, ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો

મોરબી : મોરબીના ખોખરા ધામ ખાતે ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવતકથા સાંભળવા દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહે છે. ૧૭ દિવસ ચાલનારા આ દિવ્ય ધર્મ મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં સંતો મહંતો સાથે ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી.

ગરવા ગિરનારના સિદ્ધાવતાર સમર્થ સદગુરુ પૂ. કેશવાનંદ બાપુની સાધનાભૂમિ, તપોભૂમિ, ભજનભૂમિ એવા કે જે ખૂબ ઝડપથી ઉલ્લેખનીય તીર્થધામ તરીકે આકાર પામી રહ્યું છે જ્યાં સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે, જ્યાં 80 થી વધારે ઋષિકુમારો વેદની ઋચાઓ કંઠસ્થ કરી રહયા છે એવા ખોખરા હનુમાનજી ધામ મુકામે મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ. પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવતકથાનો પ્રારંભ તા. ૧૦. ૦૩.૨૦૧૮ શનિવારના પવિત્ર દિવસે પ્રારંભ થયો છે. ૧૭ દિવસ ચાલનારા આ દિવ્ય ધર્મ મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં પૂ. ભારતીજીબાપુ, પૂ. કનિરામ બાપુ, પૂ. જગજીવનદાસ બાપુ, મહંત જગદીશચંદ્રજી અધ્યક્ષ, પંચાયતી આનંદ અખાડા, પૂ. મહંત ધનંજય ગિરી બાપુ, પૂ મહંત શિવરામદાસબાપુ કબીર આશ્રમ મોરબી, ઔઢા નાગેશ્વરના મહંત પૂ. લોકેશ ચૈતન્યજી મહારાજ ,પૂ. ભરતદાસજી, પૂ. કલ્યાણાનંદજી માતાજી, પૂ. અવધેશદાસજી મહારાજ , પૂ. નગાભગત, પૂ. બરફાની બાપુ બદ્રીનાથ, મહંત દેવીપ્રસાદજી મહારાજ અણદાબાવા આશ્રમ, પૂ. આત્માનંદ સરસ્વતીજી બોટાદ, પૂ. પ્રભુચારણદાસજી ટંકારા, પૂ. દામજીભગત બગથળા, પૂ. આત્માનંદજી માતાજી ભચાઉ, પૂ ઇન્દ્રભારતી બાપુ જૂનાગઢ, પૂ .મુક્તાનંદભારતી બાપુ ઘાટવડ, પૂ. જમનભારતી બાપુ ઘાટવડ, પૂ. અભયગીરીબાપુ જૂનાગઢ, પૂ. મૌનીબાબા, પૂ. ઋષિકુમારીજી માતાજી નાગડાવાસ, પૂ.રંજન માતાજી, પૂ. હરીદાસજી માતાજી, પૂ. લાલદાસજી માતાજી સહિતના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

કથાના મુખ્ય યજમાન દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેઓના પરિવાર સાથે જોડાયા હતા મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ શોભાયાત્રામાં સામેલ રહ્યા હતા. વિશેષ સહયોગી યજમાન સવિતાબેન દેવજીબાપા કૈલા, ભગુભાઈ પટેલ, રમણભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, શ્હિતેશભાઈ ચાવડા, પરસોત્તમભાઈ કુંડારીયા, કમલેશભાઈ વરસડા, મુકેશભાઈ પટેલ, રમેશભાઈ મોરડીયા, વિઠ્ઠલભાઈ પાંચોટિયા, રવજીભાઈ પટેલ, સવજીભાઈ સુરાણી, માવજીભાઈ પટેલ, મુકેશભાઈ ભડીયાદ, પ્રભાતસિંહ અમરનગર, પ્રવીણભાઈ પટેલ ઉપરાંત અનેક ગામોના સરપંચો, આગેવાનો પોતાના પરિવારો સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રાના પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવત નું માહાત્મ્ય જણાવતા પૂ. માઁ કનકેશ્વરીદેવીજીએ જણાવ્યું હતું કે આ મહાનતમ પ્રાચિન ગ્રંથ દ્વારા આપણા પરિવારોમાં સંસ્કૃતિ અને સંસ્કારો જળવાયા છે. કનકેશ્વરી દેવીજી એ રસાળ અને મધૂર શૈલીમાં ભાગવતના પ્રસંગો વર્ણવ્યા હતા.સહસ્ત્રચંડી યજ્ઞના આચાર્ય અને પ્રખર વિદ્વાનવિદ્વાન હસુભાઈહસુભાઈ પંડ્યા કથાનું સંચાલન કરી રહ્યા છે

પ્રતિ રોજ રાત્રે ભજન, સંતવાણી, ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો વિ.નું પણ આયોજન છે. તા. ૧૮ ને રવિવારથી સહસ્ત્રચંડી મહાયજ્ઞ પ્રારંભ થશે અને તાં.૨૬ સુધી રોજ રાત્રે વૃંદાવનની વિશ્વવિખ્યાત રાસ મંડળી દ્વારા રાસલીલા ના વિવિધ એપિસોડ દર્શાવવામાં આવશે. મોરબી વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને પૂ. માઁ ની કથા, રાત્રી દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને રાસલીલા સહિતના મહોત્સવોમાં જોડાવા આયોજન સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text