નવયુગ વિદ્યાલયમાં છાત્રોને મીઠું મો કરવી શુભેચ્છા પાઠવતું જૈન સોશ્યલ ગ્રુપ

- text


મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયના ધો.૧૦ અને ૧૨ના છાત્રોને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા કુમકુમ તિલક લગાવીને મીઠું મો કરાવવામાં આવ્યું હતું.ગ્રુપના અગ્રીઓએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ સ્કુલ ખાતે જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ પરેશ પ્રવિણચંદ્ર મહેતા,આરતી મહેશભાઈ મહેતા તેમજ તેમની કારોબારી ટીમે સજોડે આવી દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક લગાવીને પેંડા થી મોઢું મીઠું કરાવ્યું હતું.બાદમાં અગ્રણીઓએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી

- text

આ પ્રસંગે નવયુગ વિદ્યાલય ના પ્રિન્સીપાલ જોશી,પરેશભાઈ મેહતા,કેતનભાઈ મેહતા, સુરેશભાઈ દખ, જીતેન્દ્રભાઈ સંઘવી, નીતિનભાઈ મેહતા અને અનિલભાઈ દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text