- text
મોરબી : મોરબીના નવા ટીંબડી ગામે રહેતી એક પરણીતાએે કોઈ કારણસર ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે પરિણીતાના આપઘાત પાછળના કારણ શોધવા તજવીજ હાથ ધરી હતી.
- text
આ અંગે મળતી વિગત મુજબ મોરબીના નવી ટીંબડી ગામે રહેતા હીરાબેન મહેશભાઈ ચાવડા નામની પરણીતાએ આજે બપોરે પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ગળા ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં પરિવારે સારવાર માટે પરણીતાને હોસ્પિટલમાં ખસેડી હતી જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં એડી નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ પરિણીતાનો.લગ્ન ગાળો 2 વર્ષનો હોય અને એક માસનું સંતાન હોવાનું બહાર આવ્યું છે.
- text