મોરબીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું અને સીડી પરથી પડી જતા બાળકીનું મોત

- text


મોરબી : મોરબીમાં અકાળે મૃત્યુની બે ઘટનામાં રોહિદાસપરામાં બીમારીથી કંટાળી યુવાને આપઘાત કરી લેતા અને ઉંચી માંડલમાં સીડી પરથી ગબડી પડતા બાળકીનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર વાલજી ચાવડા (ઉ.વ.૨૦) વાળાએ આજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને તપાસ દરમિયાન આ યુવાને બેકારીથી કંટાળી આપઘાત કર્યાનું ખુલ્યું છે.

- text

જ્યારે બીજા બનાવમાં મોરબીના ઉંચી માંડલ નજીકના પનારા સિરામિકમાં કામ કરતા પરિવારની પાંચ વર્ષની પુત્રી જેમુબેન સુરેશભાઈ કટારા રમતા રમતા સીડી પરથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text