શનિવારે મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

- text


સ્વદેશી જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર ઉત્થાનના કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ

મોરબી : મોરબી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આગામી તા. ૧૦ ને શનિવારે રાત્રે સરસ્વતી શિશુમંદિર નવા બસસ્ટેન્ડ સામે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા રાષ્ટ્રના રક્ષણ માટે બલિદાન આપનાર શહીદોને યાદમાં શનિવારે રાત્રે સરસ્વતી શિશુમંદિર નવા બસસ્ટેન્ડ સામે મોરબી ખાતે રાત્રે ૯ થી ૧૦.૩૦ કલાકે ખાસ કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં સ્વદેશી કાર્ય માટે શહીદ થયેલા વીર બાબુ ગેનુંને યાદ કરી તેમના જીવન કથન અંગે વક્તવ્ય આપવામાં આવશે.

- text

આ કાર્યક્રમમાં રાજકોટના સામાજિક કાર્યકર્તા યોગેશભાઈ ભટ્ટ શ્રધ્ધા સુમન વક્તવ્ય આપશે જ્યારે સ્વદેશી જાગરણ મંચના રમેશભાઈ દવે પ્રાસંગિક ઉદબોધન કરશે, આ તકે જિલ્લા સંયોજક જીજ્ઞેશભાઈ સાણદિયા, જિલ્લા સરક્ષક મહેશભાઈ ભોરણીયા સહિતના આગેવાનો હાજર રહેશે.

- text