- text
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે યોજાનાર આ સેમિનારમાં ડો.કેતન હિંડોચા મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ અંગે માહિતી આપશે
મોરબી : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૧૧ ને રવિવારે આઈએમએ મોરબી દ્વારા ખાસ સેમિનાર યોજવામાં આવ્યો છે જેમાં મેડિકલ લાઈનમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાશે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપ ના વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનાર અંગે
મોરબી IMA બ્રાંચ president ડૉ સુનિલ અખાણી અને સેક્રેટરી ડૉ જે એલ દેલવાડીયાએ જણાવ્યુ હતું કે , મોરબી IMA દ્વારા તા ૧૧/૨ /૧૮ રવિવાર ના રોજ સાંજે પ.૦૦ વાગે, IMA હોલ (નિલકંઠ વિદ્યાલય સામે રવપાર રોડ) ખાતે ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ B માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ની શુલ્ક સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે.
- text
આ સેમિનારમાં ડો. કેતન હિડૉચા NEET, AIIMS અને JIPMER 2018 ની પરીક્ષા નું ઓનલાઇન રજિસ્ટ્રેશન તથા અન્ય માહિતી તથા neet ને લગતા બીજા પ્રશ્નો વિષે માહિતી આપશે.
ઉપરોક્ત સેમિનાર માં વધુ માં વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ભાગ લે તેવી વિનંતી કરી આવો બીજો સેમિનાર મેડિકલ ના એડમિશન ની માહિતી માટે neet ની પરીક્ષા પૂરી થયે રાખવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સેમિનાર અંગે વધુ માહિતી માટે 02822 232253 પર સંપર્ક કરવા આઈએમએ મોરબીની યાદીમાં જણાવાયું છે.
- text