વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં ૨.૯૩ લાખની ચોરી

- text


વાંકાનેર : વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં 6 મહિના પહેલા થયેલી ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર વૃંદાવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ તેજુભા ઝાલાના મકાનમાં 6 મહિના પહેલા કોઇ અજાણ્યો ઇસમ મકાનના મુખ્ય દરવાજનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ડ્રોઇંગ ટેબલના ખાનામા રાખેલ તેજુરીની ચાવી વડે તેજુરી ખોલી તેજુરીમા રાખેલ રૂ. ૧૮૮૦૦૦/- રોકડા તથા સોનાનુ મંગળસૂત્ર કી.રૂ. ૬૦૦૦૦/- તથા સોનાની વીટીઓ નંગ ૪ કી.રૂ. ૩૦૦૦૦/- તથા એક સોનાની વીટી અડધો તોલાની કી. રૂ. ૧૫૦૦૦/- મળી કુલ રૂ. ૨૯૩૦૦૦/- ની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. 6 મહિના જૂની પોલીસ ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

- text

હાલ તો આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ એચ.એન. રાઠોડ ચલાવી રહ્યા છે.

- text