- text
હળવદ:હળવદમાં પાંચેક દિવસ પૂર્વે નર્મદા કેનાલના સાયફન નજીક ટ્રેકટર ચાલકે ગફલત ભરી રીતે ટ્રેકટર ચલાવી પલટી ખવડાવતા શ્રમિકનું મોત નિપજતા આ મામલે શ્રમિકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
- text
જાણવા મળ્યા મુજબ ગત તા.૧૫/૧૧/૨૦૧૭ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા ના અરસામાં નર્મદા કેનાલના સાયફન બાજુમાં ટ્રેકટર ના ચાલક દલપતસંગ રહે.રહે.લાલજીભાઈ ની વાડીએ વાળાએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર નં.જી.જે.૧૩.બી.૭૭૮૧ વાળુ ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ ટ્રેકટરને ખાઈમાં પલ્ટી ખવડાવી દેતા નાનાભાઈ મનુભા અમરસંગ ઝાલા રહે. ઝીંઝુવાડા વાળાને છાતિના ભાગે ગંભીર ઈજા પહોચાડતા મોત નીપજયુ હતું. બાદમાં ટ્રેકટર ચાલક ટ્રેકટર મુકી નાશી જતા આ મામલે દેવેન્દ્રસિંહ અમરસંગ ઝાલા ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે.ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
- text