મોરબીમાં પ્રથમ વખત એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી: મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા પ્રથમ વાર મોરબીના તમામ વિભાગના સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં આશરે ૩૫૦થી વધુ સરકારી કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી, જેમાં કલાસ વન થી ક્લાસ ૪ સુધી ના તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા,જેમાં વાંકાનેર પી.આઈ.એચ.એન.રાઠોડ તથા ઘણા બધા અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં ડો. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરવામાં આવ્યું હતું તથા બૌદ્ધ વંદના કરવામાં આવી હતી ત્યાર બાદ તારીખ ૧/૧/૧૭ બાદ ના નિવૃત કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત કર્મચારીઓનું અને નવનિયુક્ત કર્મચારીઓ દ્વારા નિવૃત કર્મચારી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ત્યારબાદ બધા કર્મચારી મિત્રોનો એકબીજા સાથે પરિચય પરિચય કરાવવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં કર્મચારી મિત્રોની ડિરેક્ટરી બનાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા બધા કર્મચારીઓ છેલ્લા ૩માસથી દિવસ રાત એક કરીને મેહનત કરી હોવાનું દિલીપભાઈ દલસાનિયાની યાદીમાં જણાવાયું છે.

- text