રવિવારે મોરબી મહાપ્રભુજીની બેઠકમાં અન્નકૂટ દર્શન

- text


મોરબી:આગામી તા.૨૯ને રવિવારે મોરબી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાશે.

- text

મહાપ્રભુજીની બેઠકની યાદીમાં જણાવ્યા મુજબ આગામી ૨૯ ને રવિવારે કારતક સુદ ૯ના રોજ અન્નકૂટ દર્શન યોજાશે જેમાં સવારે ૭ વાગ્યે જાગ્યાના દર્શન,૭.૩૦ કલાકે મંગળા દર્શન,૯.૩૦ કલાકે ગોવર્ધન પૂજા દર્શન,૧૦ કલાકે રાજભોગ ધરવામાં આવશે.
વધુમાં બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાકે અન્નકૂટ દર્શન અને સવારે ૭ થી ૧૦ સુધી ઝારીજી ચરણ સ્પર્શ કરી શકાશે.
જેથી વૈષ્ણવજનોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મુખ્યાજી અતુલભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી હરીશભાઈ શેઠની યાદીમાં જણાવાયું છે.

- text