મોરબી જિલ્લામાં ટંકારા, હળવદના મામલતદાર બદલાયા

- text


રાજ્યના ૭૯ મામલતદારોની બદલી

મોરબી:આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઈ રાજ્ય સરકાર દ્વારા ૭૯ મામલતદારોની બદલી હુકમ કરાયા છે,જેમાં મોરબી જિલ્લાના ટંકારા અને હળવદ મામલતદારની બદલી કરવામાં આવી છે.

- text

જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આજે ૭૯ મામલતદારોના બદલી હુકમ કરાયા છે જેમાં ટંકારા મામલતદાર એ.એમ.ક્લાસવાને જામજોધપુર મુકવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને જામજોધપુરથી બી.કે.પંડ્યાને મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત હળવદ મામલતદાર તરીકે પોરબંદર મામલતદાર પી.એમ.મકવાણાને મુકવામાં આવ્યા છે.

- text