પાંચ ખનિજચોરો સામે ફોજદારી ફરિયાદ નોંધાવતું ખાણખનીજ વિભાગ

- text


૨૦૧૫માં દંડ ભર્યા વગર વાહન છોડવી જનારા પાંચ શખ્સો વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાયો

- text

મોરબી:ખાણખનીજ વિભાગ મોરબી દ્વારા ખનીજચોરી કરવા સબબ દંડ ફટકારવા છતાં બબ્બે વર્ષથી દંડના નાણાં ભરપાઈ નહીં કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં ખનીજચોરી કરવા બદલ પકડેલા વાહનોને દંડ ફટકાર્યા હતા પરંતું આવા વાહન માલિકો દ્વારા બબ્બે વર્ષ નો સમયગાળો વીતવા છતાં દંડની રકમ ભરપાઈ કરવાની તસ્દી ન લેતા અંતે ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.
વધુમાં ખાણખનીજ વIભાગ મોરબી દ્વારા દંડની રકમ નહીં ભરનાર ખાણીજચોરોનું લિસ્ટ ફરિયાદ સાથે બી-ડિવિઝન પોલીસને સોપતા બી-ડિવિઝન પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text