આજે અને આવતીકાલે મોરબીનો મચ્છુ ડેમ રોશનીથી ઝળહળી ઉઠશે

- text


મોરબી સિંચાઈ વિભાગ દ્વારા બે દિવસ માટે અદભુત લાઇટિંગ અને લેસર શો

મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા ડેમને
તા.૧૭મીએ રાષ્ટ્રને અર્પણ કરી રહ્યા છે ત્યારે મોરબી સિંચાઈ વિભાગ દ્વારા આ પ્રસંગે ખુશી માનવવા આજે અને આવતીકાલે મોરબીના મચ્છુ ડેમને રોશનીથી ઝળહળાટ કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની જનતા નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરવાની ખુશીમાં સહભાગી થઈ શકે તે માટે મચ્છુ ડેમ-૨ ઉપર અદભુત રોશની તથા લેસર શો નું આયોજન કરવામાં આવેલ છે જે માણવા માટે મોરબી વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ અપાયું છે.
તા. ૧૬.૦૯ શનિવારે તથા ૧૭.૦૯ રવિવારે બન્ને દિવસ રાત્રે ૮.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધી યોજવામાં આવશે તો મોરબી શહેર જીલની જનતાએ આ કાર્યક્રમનો લાભ લેવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યાદીમાં જણાવાયુ છે.

- text

- text