મોરબી જલારામ મંદીર દ્વારા આશાપુરા સેવા કેમ્પ

- text


માનકુવા ખાતે આયોજિત  સેવા કેમ્પમાં ડોક્ટર અને એમ્બ્યુલન્સ સાથે રહેશે
મોરબી:મોરબી ના જલારામ મંદીર દ્વારા દર વષેઁ માં આશાપુરા ની આરાધના એ જતા પદયાત્રીકો માટે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન ભુજ નખત્રાણા હાઈ વે પર માનકૂવા ખાતે આયોજન કરવા મા આવે છે. જેમા ચા-પાણી-નાસ્તો, રહેવા, જમવા, ન્હાવા, સાથે મેડીકલ સેવા પણ ૨૪ કલાક પ્રદાન કરવા મા આવે છે.

આ વર્ષે તા-૧૫-૯ થી ૨૦-૯ દરમીયાન કેમ્પ નું આયોજન શ્રી ગીરીશ ભાઇ ઘેલાણી ની આગેવાની મા કરવા મા આવેલ છે.આ કેમ્પ મા જલારામ સેવા મંડળ ના સદસ્ય ડો. અમીત ભાઈ ઘેલાણી તથા ડો. ભૂમિકા બેન સૂચક સેવા આપશે.

- text

તમામ પ્રકાર ની પ્રાથમીક સારવાર ને લગતી દવા ઓ તથા ઈન્જેક્શન્સ વિનામૂલ્યે આપવા મા આવશે… તેમજ એમ્બ્યુલન્સ ૨૪ કલાક હાજર રહેશે.
કોઈ પણ આકસ્મીક સંજોગો મા ૯૮૨૫૦૯૨૪૬૮, ૯૮૨૫૩૨૬૭૨૯ નં. પર સંપકઁ કરવા જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text