પત્રકાર સાથે ગેરવર્તન કરનાર પીએસઆઇના વિરોધમાં વાંકાનેરમાં પત્રકારોએ આવેદન આપ્યું

- text


મોરબી જલારામ સેવા મંડળે પણ આ ઘટનાને વખોડી પગલાંની માંગ કરી

વાંકાનેર : હળવદમાં પત્રકાર સાથે અણછાજતું વર્તન કરનાર PSI જાડેજા સામે પગલા લેવા માટે આજે વાંકાનેરના નાં પત્રકારો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના પત્રકાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ભરવાડ સાથે હળવદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી.જાડેજાએ ન્યુઝ કવરેજ કરવા બાબતે અણછાજતું વર્તન કરી ગાળો આપેલ છે.આ ધટનાને વાંકાનેરના તમામ પત્રકાર મિત્રો સખત શબ્દોમાં વખોડી કાઢયો છે અને પત્રકાર સાથે ગેરવર્તન કરનાર હળવદ PSI જાડેજા સામે પગલા ભરવા મોરબી જીલ્લાના તમામ પત્રકારો દ્વારા માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કકકડ દ્વારા પણ હળવદ પત્રકાર સાથે થયેલી ઘટનાને સખત શબદોમાં વખોડી કાઢી ગેર વર્તન કરનાર પીએસઆઈ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી.

- text

- text