મોરબી : તલાટી મંત્રીઓને બદલીમાં અસંતોષ : વાંકાનેરમાં મિટિંગનો કર્યો બહિષ્કાર

- text


મોરબી : મોરબી જિલ્લામાં તલાટી-કમ-મંત્રીઓની બદલી કરવામાં આવી છે. આ મામલે તલાટી મંત્રીઓમાં બદલી બાબતે અન્યાય થયાની લાગણી સાથે કચવાટ જોવા મળી રહ્યો છે. જેનો પડઘો વાંકાનેરમાં પડ્યો છે. તલાટી મંત્રી કર્મચારી મંડળ દ્વારા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને અન્યાય મુદે લેખિત પત્ર પાઠવી કામગીરી અને મિટિંગનો બહિષ્કાર કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ખાતે યોજાયેલ મીટીંગ નો વિરોધ કરી તલાટી-કમ-મંત્રી મોરબી જિલ્લા મહા મંડળ દ્વારા જણાવાયું હતું કે રાજકીય માણસો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી તલાટીઓની બદલી કરવામાં આવી રહી છે અને બાદલીમાં પણ અન્યાય થયો હોય મિટિંગનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં સમજાવટ થી મામલો શાંત પડ્યો હતો અને ઘી ના ઠામમાં ઘી પડી ગયાનું તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ બી.જે.બોરસાણીયાએ જણાવી હવે કોઈ વિવાદ કે પ્રશ્ન ન હોવાનું જણાવ્યું હતું.

 

- text